બહેતર વિશ્વ
માટે બહેતર શિક્ષણ
Welcome To My School
Why Choose Gajera Vidyabhavan
આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં પ્રદૂષણ અને ઘોંઘાટથી મુક્ત, શાંત અને મનોરમ્ય એવાં ઉત્રાણ વિસ્તારમાં શાંતાબેન હરીભાઇ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની શરૂઆત કરવામાં આવી. વિશાળ મેદાન અને વૃક્ષોની લીલી ઘટાઓથી સજ્જ શાળાનું પરિસર પોતાની એક અલગ ભાત પાડે છે. જ્યાં હવા અને પ્રકાશ યુક્ત વિશાળ વર્ગખંડો, કોમ્પ્યુટરથી સજ્જ લેબ, વિશાળ અને પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય જેવી અનેક આધુનિક સુવિધાઓ સાથેની શાળા આજે આ વિસ્તારનું હાર્દ બની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સંલગ્ન એવી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં નર્સરી થી ધોરણ ૧૨ (કોમર્સ અને સાયન્સ) સુધીના ગુજરાતી માધ્યમના વર્ગો ચાલે છે. જ્યાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે સંગીત, નૃત્ય, રમત-ગમત અને યોગા તેમજ વિજ્ઞાન પ્રદર્શન, કલા અને હસ્તકલા પ્રદર્શન તો વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ચર્ચા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ અને અટલ લેબ, ડીજીટલ સ્ટુડીયો વિવિધ ક્લબ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. રમત-ગમતએ શિક્ષણનું અભિન્ન અંગ હોવાથી શાળામાં હેન્ડબોલ, હોકી, વોલીબોલ, બાસ્કેટબોલ, રોલ બોલ જેવી રમતોનો ઉચ્ચ કક્ષાનું કોચીંગ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓને શિસ્ત, ખેલદિલીની ભાવના, ટીમવર્ક જેવા અનેક ગુણોની કેળવણી પ્રાપ્ત થાય છે. જેથી વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરે છે.
આમ, ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. જે એક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. આથી જ શ્રી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ પહેલી પસંદ છે.
School Facilities
Computer Lab
Chemistry Lab
Conference Hall
Physics Lab
Biology Lab
Dance Room
Music Room
Skating Ring
Chess Room
Yoga Room
Follow on Social Media
NEWS & UPDATES
- ‘મા. અને ઉ. મા. વિભાગ : Quiz : World Population Day (11/07/2026)
- ‘મા. અને ઉ. મા. વિભાગ : Drawing Competition : Founder’s Day (11/07/2026)
- ‘મા. અને ઉ. મા. વિભાગ : Bhajan : Founder’s Day (11/07/2026)
- ‘મા. અને ઉ. મા. વિભાગ : Seminar : Chandrayan3 launch Day (14/07/2026)
- ‘મા. અને ઉ. મા. વિભાગ : Seminar : Kargil Vijay Diwas (26/07/2026)
- ‘મા. અને ઉ. મા. વિભાગ : Guru pujan : Gurupurnima (29/07/2026) ઉજવણી
Admission Enquiry
૨૫ વર્ષોથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૮ શાળાઓ અને 3 કોલેજોમાં અભ્યાસ કરતા ૫૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રમાં નવીનીકરણ લાવી રહ્યું છે.
શૈક્ષણિક, રમત-ગમત અને કલા આમ દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતાઓને વિકસાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક બાળક પોતાનું કૌશલ્ય નિખારે અને પોતાની આવડત અનુસાર ઉત્તમ જીવનનું ઘડતર કરે એ હેતુથી શિક્ષકો જીવનલક્ષી કેળવણી આપવા પાર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સાથે સાથે ગજેરા ટ્રસ્ટ વાલી-શિક્ષકની ભાગીદારીમાં વિશ્વાસ રાખે છે જેથી બાળક માત્ર એક આદર્શ વિદ્યાર્થી જ તરીકે નહિ પણ એક આદર્શ વૈશ્વિક નાગરિક તરીકે પ્રગતિમાં સહભાગી બની શકે.