Principal's Message

Mrs. Sunita Hirpara

Mrs. Sunita Hirpara

આચાર્યા
ગુજરાતી મિડીયમ પૂર્વ પ્રાથમિક વિભાગ

૨૧ મી સદી માં માનવજીવન ને મહેકતું બનાવવા “શિક્ષણ” ની પ્રકિયા મજબૂત, મહત્વકાંક્ષી, મનોહર અને મનભાવક બનાવવી જરૂરી છે. આજના બાળકને આવતીકાલ માટે તૈયાર કરવા લાંબી દ્રષ્ટિ કેળવવી પડશે અને તે રીતે શિક્ષણ નો માહોલ ઘડવો પડશે. આ વિચાર ધારા ને સાર્થક બનાવવા માટે ગજેરા વિદ્યાભવન માં બાલભવન વિભાગમાં ભાર વગરના ભણતર પર ભાર મુકવામાં આવે છે.

બાળકમાં કુદરતી અપાર શક્તિ હોય છે. તેનામાં ભાગ્ય, બુધ્ધિ અને સમજણ શક્તિ કુદરતી દેન છે. આપણે તો માત્ર તેને બહાર લાવવાની છે. અત્રેની શાળાનું વાતાવરણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તથા કૌશલ્યોનો વિકાસમાં મદદરૂપ થાય છે. દરેક બાળક ને પોતાનું અલગ અને વિશિષ્ટ અસ્તિત્વ હોય છે.

ગજેરા વિદ્યાભવન બાલભવનના અનુભવી તથા પ્રેમાળ શિક્ષક્ગણદ્વ્રારા બાળકોને શાળામાં વ્યક્તિગત રીતે ઇન્દ્રિય શિક્ષણ, વિવિધ જીવન વ્યવહારો, ભાષા, ગણિત, ઈતર પ્રવૃત્તિઓ વગેરે વિષયોનું “ગમ્મત સાથે જ્ઞાન” પૂરું પડે છે.

બાળવિકાસના તબક્કા:-

માનસશાસ્ત્રી ડૉ. અનેસ્ટ જ્હોન્સે બાળવિકાસના વિવિધ તબક્કાઓ નીચે પ્રમાણે સૂચવ્યા છે:

  • જન્મથી પાંચ વર્ષ સુધી શિશુ અવસ્થા (શૈશવકાળ)
  • છ વર્ષથી બાર વર્ષ સુધી કિશોરાવસ્થા
  • તેર વર્ષથી અઢાર વર્ષ સુધી તરુણાવસ્થા

માનવીના સમગ્ર જીવન અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ તેના શૈશવકાળમાં પડે છે. બાળકોની શિક્ષણ સંબંધી જરૂરિયાતો સંતોષવા માટે મા-બાપ અને શિક્ષકે પ્રામાણિક પ્રયાસો કરવા જોઈએ.

Mrs. Dipti Solanki

Mrs. Dipti Solanki

Principal
Gujarati Medium Primary
શીખવાની સુંદર વાત એ છે કે, તેને તમારી પાસેથી કોઈ છીનવી શકે નહીં.

એથી જ અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં અમે વિદ્યાર્થીઓને નિરંતર શીખતા રહેવા માટેની તકો પુરુ પાડતું મોકળું વિકાસ ફલક આપવા તરફના તમામ પ્રયત્ન શાળા દ્વારા હાથ ધરવામાં આવે છે.

જયારે શિક્ષણને માનવીના માનવ તરીકે ના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એના અંગ-ઉપાંગો, એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસાવવા, અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિ પ્રેરણા આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી‘ તરીકે ઓળખવામાં આવ્યો છે.

માનવી માટે શીખવાની પ્રક્રિયા એ એક સહજ, નૈસર્ગિક અને સરળ પ્રક્રિયા છે. કુદરતે એને અનુકરણની અમોઘ શક્તિ આપીને નાની, કાચી વયથી જ શીખવાનું પાયાનું આધાર માળખું રચી આપ્યું છે.

કહેવાય છે કે, શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે, તો અમે અમારા ખાલી પાત્ર રૂપી કૂમળા ફૂલ જેવા બાળકોમાં નિરંતર જ્ઞાનરૂપી ભાઠું પૂરું પાડી, સમાજને સક્ષમ નાગરિકની ભેટ આપી, ગૌરવની લાગણી અનુભવીએ છીએ. શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકે છે.

Mrs. Chhayaben Bhathawala

Mrs. Chhayaben Bhathawala

Principal
Smt. S. H. Gajera School (GSEB-Guj) Sec. & Higher Sec, Utran

મારું ગજેરા વિદ્યાભવનમાં શિક્ષકથી પ્રિન્સિપલ સુધીનું સફર એક અદ્દભુત અને સ્મરણીય અનુભવ રહ્યું છે. આ સ્થાનએ મને ઘણા અવસરો આપ્યા અને દરેક મંચે મારી આગળ વધવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો. વ્યક્તિગત રીતે વિકાસવા માટે જે પડકારો અને તક મળી, તે મારા જીવનનો અમૂલ્ય હિસ્સો બની ચૂક્યા છે.

શાળાએ મને આત્મવિશ્વાસ આપ્યો કે હું વધુ મોટું ઉદ્દેશ્ય પૂરું કરી શકું, અને મારા કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકું. વિદ્યાર્થીઓ, સ્ટાફ, અને પેરેન્ટ્સ સાથેનો સતત સહકાર અને સંવાદ મારી નેતૃત્વક્ષમતા વિકસાવવામાં મદદરૂપ રહ્યો છે.

ગજેરા વિદ્યાભવન માટે હું મને મળી આવેલી જવાબદારી સાથે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યો છું. મને ગર્વ છે કે હું આ સંસ્થાનો ભાગ છું અને એના વિકાસમાં મારો યથાશક્તિ ફાળો આપી રહ્યો છું.

આ સફર માત્ર વ્યવસાયિક દિશામાં પ્રગતિરૂપ રહી નથી, પણ વ્યક્તિગત સંતોષ અને આત્મસંતુલન તરફ પણ લઈ ગઈ છે. આગળ આવનારા વર્ષોમાં પણ હું એવી જ નિષ્ઠા અને ઉત્સાહ સાથે મારી સેવાઓ આપતો રહીશ.