Admission Process 2026–27
ગજેરા વિદ્યાભવનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
📌 સામાન્ય પ્રવેશ માહિતી
ગજેરા વિદ્યાભવનના દરેક વિભાગોમાં ખાલી જગ્યાના આધારે કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મ કે અન્ય ભેદભાવ વગર સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
દરેક ધોરણમાં પ્રવેશ ઉપલબ્ધ બેઠકો, મેનેજમેન્ટના નિયમો અને પ્રવેશ પ્રક્રિયા મુજબ આપવામાં આવે છે.
👶 પૂર્વ-પ્રાથમિક વિભાગ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તથા CBSE ના પૂર્વ-પ્રાથમિક વિભાગમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક વાલીઓએ ગજેરા ફાર્મ સ્કૂલ ખાતે સંપર્ક કરવો.
🧸 જુનિયર KG
જન્મ તારીખ
૦૨-૦૬-૨૦૨૨ થી
૦૧-૦૬-૨૦૨૩
🎈 સિનિયર KG
જન્મ તારીખ
૦૨-૦૬-૨૦૨૧ થી
૦૧-૦૬-૨૦૨૨
🎓 બાલવાટિકા
જન્મ તારીખ
૦૨-૦૬-૨૦૨૦ થી
૦૧-૦૬-૨૦૨૧
૧ જૂનના રોજ ૬ વર્ષ પૂર્ણ કરનાર બાળકો ધોરણ-૧માં પ્રવેશ માટે પાત્ર ગણાશે.
📄 પૂર્વ-પ્રાથમિક માટે જરૂરી દસ્તાવેજો
પ્રવેશ સમયે નીચે દર્શાવેલા તમામ ઓરિજિનલ દસ્તાવેજો તથા તેમની ઝેરોક્ષ સાથે લાવવા વિનંતી.
📜 જન્મનો દાખલો
બાળકનો ઓરિજિનલ જન્મ તારીખનો દાખલો તથા તેની એક ઝેરોક્ષ.
📷 ફોટોગ્રાફ
બાળકના ૨ પાસપોર્ટ સાઇઝના ફોટા તથા માતા અને પિતાના ૧-૧ પાસપોર્ટ સાઇઝના ફોટા.
🪪 ઓળખના પુરાવા
બાળક તથા માતા-પિતાના આધારકાર્ડ, પિતાની LC, બ્લડ ગ્રુપ, પાસપોર્ટ નંબર (જો હોય તો) અને એડ્રેસ પ્રૂફ.
- ઓરિજિનલ જન્મનો દાખલો
- જન્મ દાખલાની ઝેરોક્ષ
- બાળકના ૨ પાસપોર્ટ સાઇઝ ફોટા
- માતા અને પિતાના ૧-૧ ફોટા
- બાળક તથા માતા-પિતાના આધારકાર્ડ
- પિતાની LC
- પાસપોર્ટ નંબર (જો હોય તો)
- બ્લડ ગ્રુપની વિગતો
- એડ્રેસ પ્રૂફ
🏫 પ્રાથમિક વિભાગ
ધોરણ – ૧ માં પ્રવેશ
અમારી શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામ જાહેર થયાના ૩ દિવસની અંદર પ્રવેશ ફોર્મ તથા વાર્ષિક ફી ભરી ધોરણ-૧માં પ્રવેશ મેળવવાનો રહેશે.
અમારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ જો બેઠકો ખાલી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને એપ્રિલ મહિનામાં પ્રવેશ આપવામાં આવે છે. અમારા વિદ્યાર્થીઓના સગા ભાઈ-બહેનને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે.
📜 જરૂરી દસ્તાવેજો
જન્મ તારીખનું ઓરિજિનલ પ્રમાણપત્ર તથા ઝેરોક્ષ.
📷 ફોટોગ્રાફ
વિદ્યાર્થીના ૨ તથા માતા-પિતાના ૧-૧ પાસપોર્ટ સાઇઝ ફોટા.
💳 વાર્ષિક ફી
નિર્ધારિત વાર્ષિક ફી સાથે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે.
ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ
સૌપ્રથમ અમારી એક શાખામાંથી બીજી શાખામાં બદલી કરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ ખાલી બેઠકો હોય તો લેખિત પરીક્ષા તથા મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
- વાર્ષિક પરિણામની ઝેરોક્ષ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- નિર્ધારિત વાર્ષિક ફી
- વિદ્યાર્થીના ૨ પાસપોર્ટ સાઇઝ ફોટા
- માતા અને પિતાના ૧-૧ પાસપોર્ટ સાઇઝ ફોટા
🎓 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ
ધોરણ – ૯ માં પ્રવેશ
સૌપ્રથમ અમારી સંલગ્ન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૮ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારબાદ જો બેઠકો ખાલી રહે તો અન્ય શાળાના વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામ અને પ્રવેશ પરીક્ષાના મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે.
ધોરણ-૮નું પરિણામ જાહેર થયાના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
ધોરણ – ૧૧ (વિજ્ઞાન તથા વાણિજ્ય પ્રવાહ)
ધોરણ-૧૧ (વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહ)માં પ્રવેશ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના નિયમો મુજબ આપવામાં આવે છે. ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ની જાહેર પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બીજા દિવસથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે.
🔬 વિજ્ઞાન પ્રવાહ
સરકારના નિયમો અને મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
💼 વાણિજ્ય પ્રવાહ
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શિકા મુજબ પ્રવેશ આપવામાં આવે છે.
ધોરણ – ૧૦ અને ૧૨
ધોરણ-૯માંથી ૧૦ તથા ધોરણ-૧૧માંથી ૧૨માં આવતા વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે સામાન્ય રીતે નવી પ્રવેશ પ્રક્રિયા ઉપલબ્ધ રહેતી નથી.
જો બેઠકો ઉપલબ્ધ હોય તો અગાઉના વર્ષના પરિણામ તથા પ્રવેશ પરીક્ષાના દેખાવ આધારે પ્રવેશ આપવામાં આવે છે.
📞 પ્રવેશ અંગે માહિતી
પ્રવેશ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અથવા અન્ય કોઈપણ માહિતી માટે અમારી ઓફિસનો સંપર્ક કરો. અમારી ટીમ આપને સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર છે.
💙 પ્રવેશ માટે અમને લખો
પ્રવેશ સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે અમારો સંપર્ક કરો અથવા શાળાની ઓફિસની મુલાકાત લો.