About Gajera Trust

ઈ.સ.૧૯૭૨ માં ‘લક્ષ્મી ડાયમંડ’ ના નામથી હીરા વેપાર શરૂ કર્યો. ઈ.સ.૧૯૯૫ માં ડીટીસી સાઈડ હોલ્ડર બનીને મહાન ઊંચાઈ હાંસલ કરી.જ્યાં સુધી એક નોંધપાત્ર ભાગ દેશના વિકાસ માટે ઉપયોગી ના થાય ત્યાં સુધી પૈસા અને સંપત્તિની વાસ્તવિક ઉપયોગિતા અર્થહીન છે. તેવું ટ્રસ્ટીઓ માનતા હતા. આથી નાગરિકોના ભવિષ્ય માટે શિક્ષણ અને ટેકનોલોજીની આધુનિકતાનો સ્વીકાર કરીને “ગજેરા ટ્રસ્ટ” ની સ્થાપના ૧/૧/૧૯૯૩ કરી હતી.

‘ગજેરા ટ્રસ્ટ’ એ શૈક્ષણિક,સાંસ્કૃતિક,તબીબી અને સામાજિક કાર્ય માં સમાજને સહાય કરી અને લોકોને પોતાના પગ પર ઊભા રહેવા માટે જરૂરી સહાય પૂરી પાડી છે. અત્યાર સુધી ગજેરા ટ્રસ્ટ ૯ સંસ્થાઓ ૧૮ શાળાઓ સાથે અનાથાશ્રમ અને 3 કોલેજો ગુજરાત રાજ્ય માં સ્થાપી છે. ગજેરા ટ્રસ્ટની મદદથી ૫૮,૦૦૦ કરતાંવધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સંસ્થામાં ગુણવત્તાભર્યા શિક્ષણ સાથે રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ શીખવાની તાલીમ આપવામાં આવી રહી છે.

President's Message

માતૃશ્રી શ્રીમતી શાંતાબાની સ્મૃતિમાં સામાજિક ઉત્થાનની પ્રવૃતિઓ માટે સૌ બાંધવોએ “શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરી.ટ્રસ્ટ” ની સ્થાપના કરી. ટ્રસ્ટની સ્થાપના પાછળનો મૂળભૂત દ્રષ્ટિકોણ સામાજિક વિકાસને પ્રવેગિક કરવાનો રહ્યો છે. વ્યક્તિગત શસક્તિકરણ અને એકથી અનેક ને મદદરૂપ થઈ શકે તેવી સમાજરચના સાથે આપણે સૌ ઈચ્છીએ છીએ તેવી ખુશીની એક લહેર “One Happiness” ને પ્રસરાવવા અમે પ્રયત્નશીલ છીએ.

આદિવાસી વિસ્તારના લોકો અને જરૂરીયાતમંદ બાળકો માટે એવું વાતાવરણ ઉભુ કરવા કટીબધ્ધ છીએ કે જ્યાં સંવાદ અને સહવાસથી નવીન બાબતો શીખવાડવામાં આવે. “વાત્સલ્યધામ” અને “વાત્સલ્યનાઈટ સ્કુલ” એ સમાજ માટે એવા દિશા સૂચક મોડેલ છે કે જ્યાં બાળકો તેમની ક્ષમતાઓને ઓળખી શકે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યવસાયિક કુશળતા દ્વારા દરેક બાળકને સ્વનિર્ભર જીવન ભેટમાં આપવાની કલ્પનાને સાકાર કરીએ છીએ.

ગ્રામીણ અને છેવાડાના લોકોને પણ વિકાસની સમાન તક મળે તે માટે અમે ખુબ તન્મયતાથી કામ કરીએ છીએ. આપણું ભવિષ્ય લોકોની એકતા અને પ્રમાણિકતા પર આધારિત છે એવું અમે માનીએ છીએ.

જીવનમાં દરેક ક્ષેત્રમાં નવા વિચારો અને પારદર્શિતા લાવવા માટે હું યુવાનોને ઉત્સાહિત અને આદર્શ બનાવવા માંગું છું. આજના યુવાનોમાં આવતીકાલના સુપરપાવર બનવાની ભરપુર ક્ષમતા છે.

“કાર્યક્ષમતા અને સમર્પણ, આપને એ તમામ વસ્તુઓ આપી શકે જેની તમને કામના હોય.”

Managing Trustee's Message

The foundation of Gajera Trust was laid in the loving memory of our mother, Smt. Shantaben Haribhai Gajera. Since its inception, the philosophy of the trust and its founding members has been focused on progressive growth for people.

We live with a belief to empower every soul and to be a supporting arm to the society. We want to spread what all of us want “One Happiness”.

We work closely in rural development and ensure that all lives get an equal value. My vision is to rehabilitate each and every child, enabling them to achieve the highest level of their ability and self-reliance. Our initiative, ‘Vatsalya Dham’, brings back the soul and prepares children for challenges and opportunities, both in and out of the classroom.

Our Trustee's

Mr. Girdharbhai Gajera

Trustee
Smt S.H. Gajera Charitable Trust

Mr. Ashokbhai Gajera

Trustee
Smt S.H. Gajera Charitable Trust

Mr. Bakulbhai Gajera

Trustee
Smt S.H. Gajera Charitable Trust