અનુભવી શિક્ષકથી નવી પેઢી

 

           30/5/25 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન ” 21 મી સદીનો શિક્ષક કેવો હોવો જોઈએ ?” આ વિષય પર માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલું .

           આ ઉક્તિને ધ્યાનમાં લઇ અને અભ્યાસમાં પણ પરિવર્તન જરૂરી છે. હોય છે. સાથે જોડીને ભણાવવામાં આવે તો તેની અસર વધારે જોવા મળે છે. તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો .એટલે કે પરિવર્તન ગોખણપટ્ટીથી વાસ્તવિક જ્ઞાન તરફ લઈ જાય છે

           21 મી સદીના વિદ્યાર્થી માટે શિક્ષક કેવો હોવો જોઈએ તે માટેની સચોટ માહિતી આપી એટલે કે શિક્ષક તરીકેની એક જોબ નથી પરંતુ ખૂબ જ મોટી જવાબદારી છે. 

આજે બધા વાલીને પોતાના બાળક માટે સારા શિક્ષક જોઈએ છીએ પરંતુ પોતાના બાળકને એક સારો શિક્ષક બનાવવા માગતા નથી . શિક્ષક કેવો હોવો જોઈએ ?

1)ટેકનોલોજી નો આવડત વાળો

2) લાગણીસભર

3)પ્રવૃત્તિમાં સામેલ થાય તેવો

4)વિદ્યાર્થીઓ સાથે સતત ચર્ચા કરે તેવો

5)ક્લાસરૂમમાં ખુશીનું વાતાવરણ ઊભું કરનારો

6)વાતાવરણને બદલનાર

7) રીઝલ્ટ માટેનો સ્ત્રોત 

            એટલે શિક્ષક. માત્ર વિદ્યાર્થી સાથે જ નહીં પરંતુ વાલીઓ સાથે પણ આત્મવિશ્વાસથી ચર્ચા કરી શકે, વાતચીત કરી શકે તેવી આવડત વાળો શિક્ષક હોવો જોઈએ.

            ઉપરાંત સમયનું વાવેતર કરવું.  તેનો મહત્વનો સ્ત્રોત એટલે શિક્ષક.  શિક્ષક સમયનું વાવેતર કરે છે. પરિણામે સમાજમાં સારા નાગરિકોનું ઘડતર થઈ શક્યું છે.

            એટલે કે શિક્ષકના આદર્શ વ્યક્તિત્વની અસર વિદ્યાર્થીના જીવન પર થાય છે વિદ્યાર્થી શિક્ષક પર આંધળો વિશ્વાસ કરે છે એમ કહી શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *