ગુડ ફ્રાઈડે: કરુણા, બલિદાન અને ક્ષમાનો પાવન દિવસ

     ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો. તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે. 

ઈશુને શૂળી પર કેમ લટકાવવામાં આવ્યા હતા : લગભગ બે હજાર વર્ષ પહેલા યુરુશલમના ગૈલિની શહેરના નાસરત નિવાસી ઈસા યુવા થતા લોકોને માનવતા, ભાઈચારો, એકતા અને શાંતિનો ઉપદેશ આપીને લોકોમાં પરમપિતા પરમેશ્વરમાં આસ્થા જગાવવા લાગ્યા. તે ખુદને ઈશ્વરનો પુત્ર કહેતા હતા અને પરમેશ્વરના રાજ્યનુ આગમન અને સ્થાપનાની વાતો કરતા હતા. તેમણે ધાર્મિક, અંધવિશ્વાસ ફેલાવનારા ધર્મગુરૂઓને માનવજતિના શત્રુ ગણાવ્યા.  ઈસાની લોકપ્રિયતા દિવસો દિવસ વધતી જઈ રહી હતી. તેમના સંદેશાઓથી પરેશાન થઈને ધર્મગુરૂઓએ રોમના શાસક પિલાતુસના કાન ભરવા શરૂ કર્યા કે ખુદને ઈશ્વરપુત્ર બતાવવુ ભારે પાપ છે અને તે પરમેશ્વરના રાજ્યની વાતો કરે છે.  ત્યારબાદ ઈસા પર ધર્મ અને રાજ્યની અવમાનનાનો આરોપ લગાવીને તેમને ક્રૂસ પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો. 

      ક્રૂસ પર લટકાવતા પહેલા ઈસાને અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવી. તેમના માથા પર કાંટાનો તાજ મુકવામાં આવ્યો. ક્રૂસને પોતાના ખભા પર ઊંચકીને લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોડા અને ચાબુકથી માર મારવામાં આવ્યો.  તેમના પર થૂંકવામાં આવ્યુ.  પિત્ત ભેળવેલી દારૂ પીવવા માટે આપવામાં આવી અને છેવટે બે અપરાધીઓ સાથે શૂળી પર નિર્દયતા પૂર્વક ખીલ્લીઓથી ઠોંકી દેવામાં આવ્યા હતા. 

 મરતા પહેલા યીશુના આ હતા અંતિમ શબ્દો:  જે સ્થાન પર ઈસાને સલીબ પર ચઢાવવામાં આવ્યા હતા. બાઈબલ મુજબ એ સ્થાન ગોલગોથા નામના એક ઊંચી ટેકરી(ટીલો) હતો. જ્યારે ઈસા પોતાના પ્રાણ ત્યજી રહ્યા હતા ત્યારે તેમને ઊંચા અવાજથી પરમેશ્વરને અવાજ લગાવ્યો અને કહ્યુ – હે પિતા ! હુ મારી આત્માને તારા હાથમાં સોંપૂ છુ. આવુ કહેવાની સાથે જ તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *