પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ

या सृष्टिः स्रष्टुराद्या वहति विधिहुतं या हविर्या च होत्री ये द्वे कालं विधत्तः श्रुतिविषयगुणाः या स्थिता व्याप्य विश्वम् l”

 

માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. 

આમ તો ઉપમા ધરાને ‘મા’ની આપી આપણે

શું ખરેખર માવતરની લાજ રાખી આપણે?

આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલો જાણીએ કે પર્યાવરણ દિવસ ક્યારે છે, આ દિવસ કેવી રીતે અને શા માટે ઉજવવામાં આવે છે. ઈ. સ.1972માં સ્ટોકહોમમાં પ્રથમ પર્યાવરણ પરિષદ યોજાઈ હતી, જેમાં 119 દેશોએ ભાગ લીધો હતો.1972ના રોજ પ્રથમ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી, ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે જૂન મહિનામાં ઉજવવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 5મી જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસર પર તમામ દેશો એક ચોક્કસ થીમ સાથે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષની થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણને હટાવો” છે. જે પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવાની અને ટકાઉ વિકલ્પોને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે અને રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ  1 થી 8માં.રંગ પુરવણી, વૃક્ષારોપણ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે હતો. દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક પ્રવૃત્તિઓ અને હરીફાઈમાં ભાગ લીધો હતો અને પર્યાવરણ પ્રત્યેના ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાળામાં નવા આવનાર વિદ્યાર્થીઓના વાલીશ્રી ને છોડ ભેટમાં આપવામાં આવ્યા હતા. જેનો આશય વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તે છે. વધુ વૃક્ષો વાવીએ પૃથ્વીને હરિયાળી બનાવીએ.

मावन जीवन है खतरे में

इसमें है हम सबकी समझदारी

पेड़ लगायेंगे और पेड़ बचायेंगे

पर्यावरण की हम लेंगे जिम्मेदारीl

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *