“વિદ્યાર્થી, વાલી અને શિક્ષકનો સંબંધસેતુ”

शिक्षा बदलाव लाती है भटकाती नही ।

शिक्षा समृद्धि बढ़ाती है बेरोजगारी नही ।

शिक्षा समाधान का नाम जरुर है अभाव का नही ।

       વાલી પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાત નો મુખ્ય આશય પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે . બાળકોનું સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન તો શાળામાંથી જ મળે છે.

 

       વાલી અને શિક્ષક વચ્ચેનો સંબંધ બાળકોની વિચારશક્તિને ખીલવવામાં ખૂબ જ મહત્વનો છે . જ્યારે શાળા અમુક ખાસ પ્રવૃત્તિ કે અભ્યાસલક્ષી નિર્ણયોમાં વાલીઓને સામેલ કરે છે ત્યારે બાળકના વિકાસમાં તેની હકારાત્મક અસર પડે છે.

       શાળાની વાલી મિટિંગમાં હાજરી આપવી ખૂબ જ જરૂરી છે .જેથી શિક્ષકો સાથે મુક્તતાથી ચર્ચા કરી શકાય . બાળકોની નોટબુક ,પાઠ્યપુસ્તકો અને સ્વાધ્યાયપોથી  દરરોજ તપાસવી, જેથી શિક્ષકે કોઈ નોંધ કરી હોય તો તેની જાણ થઈ શકે છે. આ સાથે બાળકને શિક્ષણ વિશેની માહિતી મળી શકે છે.

 

      આજે બાળકોનું ભણતર માતા – પિતા માટે કસોટીરૂપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તેની પિતાને જાણ ન હતી અને માતા માં પણ ક્યારેય બાળકોની પરીક્ષા ટેન્શન જોવા મળતું નહીં . પરંતુ આજે તો આ પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. માતા- પિતા બાળકના ભણતરની બાબતે સતત ચિંતિત રહે છે અને તે માટે જાત જાતના પ્રયાસો  કરતા જોવા મળે છે. બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે વાલીઓ ભણતરમાં રસ લે છે.

      આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે . આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓનું  સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહ્યું છે. જ્યાં શાંતિ, સહકાર અને અનુકૂલન હશે ત્યાં આપણે દરેક પ્રકારે સિદ્ધિ હાંસિલ  કરી શકીશું .જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષકે એ  શિક્ષણ માટે સમર્પિત થશે અને વિદ્યાર્થીના વિકાસમાં ઉત્પાનમાં પોતાનું સમર્પણ રેડી દે છે.

 

       વિદ્યાર્થી – વાલી ને જોડતી કડી શિક્ષક છે .આપણો સમાજ શિસ્ત માટે , સારા સંસ્કાર માટે વિદ્યાર્થીને ઉત્તમ ચરિત્ર નું ઘડતર કરાવવા માટે શિક્ષક પર આશા રાખે છે.  તેમાં વાલીઓએ  અને વિદ્યાર્થીઓ એ સક્રિય સહકાર આપવો પડે છે.

        આજ રોજ આપણી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોમાં રહેલા સારા – નરસા પાસાઓની વાલી શ્રી  તથા શિક્ષક શ્રી સાથે ચર્ચા વિચારણા થાય તે અંગે વાલી મિટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમિયાન બાળકના શિક્ષણ અંગેની માહિતી શિક્ષક શ્રીઓ  વાલીશ્રીઓને  પૂરી  પાડી 

તથા બાળકોને એજ્યુકેશન બાબતે વાંચનની અને લેખનની તૈયારી ઘરે પણ  કઈ રીતે કરાવવી તે અંગે જરૂરી માહિતી આપી . બાળકના ભવિષ્ય અંગે વાલીશ્રી નું ધ્યાન કેન્દ્રિત કર્યું આમ વાલીશ્રીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક શિક્ષક શ્રીઓને સાંભળી પોતાના વિચારો રજૂ કર્યા.અને ખૂબ સરસ સાથ સહકાર આપ્યો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *