દર વર્ષે ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પર લોકો યોગના મહત્ત્વ અને લાભને ઉજવે છે. યોગ આપણને માત્ર બીમારીઓથી દૂર નથી રાખતો, પણ જીવનના દરેક ક્ષેત્રમાં સમતુલા અને શાંતિ આપે છે. યોગ એ જીવનશૈલી છે – સ્વસ્થ શરીર, નિરોગી મન અને સંતુલિત આત્માનું દર્શન. યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. યોગ માત્ર કસરત નથી, પણ શરીર, મન અને આત્માના સંકલનનો માર્ગ છે. વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે, જે સમગ્ર વિશ્વમાં યોગની મહત્તા અને જાગૃતિ માટે અનોખી ઓળખ બની ચૂક્યો છે.
યોગ દિવસનું મહત્વ:
- સ્વાસ્થ્ય માટે લાભદાયક: યોગ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. નિયમિત યોગથી હાર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને તણાવ જેવી બીમારીઓને દૂર રાખી શકાય છે.
- માનસિક શાંતિ અને એકાગ્રતા: યોગ અને ધ્યાન માનસિક તણાવ ઘટાડે છે અને આત્મવિશ્વાસ તથા એકાગ્રતા વધારવામાં મદદ કરે છે.
- પ્રાકૃતિક જીવનશૈલી તરફ વળતર: યોગ દ્વારા મનુષ્ય પ્રકૃતિની નજીક આવે છે અને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે છે.
- વિશ્વસાંસ્કૃતિક એકતા: યોગ હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યો. વિશ્વના અનેક દેશોએ તેને સ્વીકારીને માનવજાતના કલ્યાણ માટે અપનાવ્યો છે.
- સકારાત્મક જીવનશૈલીનો વિકાસ: યોગના અભ્યાસથી વ્યસનો, રાગ-દ્વેષ, અહંકાર અને અભાવભાવમાં ઘટાડો થાય છે, જે જીવનને વધુ સકારાત્મક બનાવે છે.
- શિક્ષણમાં ઉપયોગી: વિદ્યાર્થીઓ માટે યોગ એક ખૂબ જ ઉપયોગી સાધન છે, જે તેમને શિસ્ત, મનની શાંતિ અને અભ્યાસમાં મગ્ન થવા માટે મદદ કરે છે.
યોગનો ઇતિહાસ : યોગનો ઉદ્ભવ આશરે ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થયો હતો. પતંજલિએ ‘યોગસૂત્ર’ રચનાની જેના આધારે યોગની વિવિધ શૈલીઓ વિકસિત થઈ. ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવને યોગના મૂળ ગુરુ માનવામાં આવે છે.
યોગના પ્રકારો
- હઠ યોગ – શારીરિક તંદુરસ્તી માટે
- રાજ યોગ – ધ્યાન અને આત્મા માટે
- ભક્તિ યોગ – ભગવાન પ્રત્યેની ભક્તિ દ્વારા મોક્ષ
- કર્મ યોગ – નિષ્કામ કર્મ દ્વારા આધ્યાત્મિક વિકાસ
- જ્ઞાન યોગ – જ્ઞાન દ્વારા આત્મસાક્ષાત્કાર
યોગના લાભો
– શરીર લવચીક અને તંદુરસ્ત બને છે
– મન શાંત અને નિર્વિવાદ રહે છે
– નિંદ્રા સારી થાય છે
– હાર્ટની તકલીફો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં રાહત આત્મવિશ્વાસ વધે છે
યોગ કરવા માટેની યોગ્ય રીત
– રોજ સવારે ખાલી પેટ યોગ કરો
– આરામદાયક કપડાં પહેરો
– શાંતિપૂર્ણ જગ્યા પસંદ કરો.
– આરંભમાં સરળ આસનોથી શરૂ કરો – જેમ કે તાડાસન, ભુજંગાસન, શવાસન
– યોગ સાથે પ્રાણાયામ અને ધ્યાન પણ કરો.
આ યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે અમારી શાળામાં દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.તે મુજબ ગજેરા વિદ્યાભવનમાં ઉત્રાણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો હતો.