દર વર્ષે 14 જૂને વિશ્વભરમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સ્વયંસેવી રક્તદાતાઓનો આભાર માનવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમારી શાળાએ પણ આ દિવસે વિદ્યાર્થીઓમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક ઉપયોગી અને જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારની શરૂઆત શાળાના આચાર્યાશ્રીએ પ્રેરણાદાયી સ્પીચથી થઈ. ત્યારબાદ, તજજ્ઞશ્રી યોગેશભાઈ બી. ધીમર (શ્રીમતી અતિલક્ષ્મી ગણપતિશંકર મજમુદાર (SAGM) થેલેસેમીયા સેંટર, ગોપીપુરા, સુરત) દ્વારા રક્તદાનના લાભો અને તેની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે સમજાવ્યું કે રક્તદાન એ સૌથી મહાન માનવસેવાનો એક સ્વરૂપ છે અને તેનાથી જીવ બચાવી શકાય છે.
વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમણે રક્તદાન વિશેની શંકાઓ પૂછીને નિષ્ણાત પાસેથી સંતોષકારક જવાબો મેળવ્યા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં રક્તદાન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસ્યો. શાળાની તરફથી નિર્ણય લેવામાં આવ્યો કે ભવિષ્યમાં પણ આવા જાગૃતિમુલક કાર્યક્રમોનું આયોજન કરાશે જેથી વિદ્યાર્થીઓ નાની ઉંમરથીજ માનવસેવા તરફ પ્રેરિત થાય.
“એક બોટલ રક્ત – એક જીવનની બચાવ” – આ સંદેશ સાથે સમાપ્ત થયેલ સેમિનાર એ વિદ્યાર્થી જીવનમાં એક મહત્વપૂર્ણ સંસ્કારરૂપ સાબિત થયો.