સંગીતનો સ્વાસ્થ્ય સાથેનો અનોખો સંબંધ એ મનુષ્યને જ નહીં તે પ્રાણી અને વૃક્ષોને પણ અસર કરે છે.
વિશ્વને સંગીતના મહત્વ અને ઉપયોગીતા વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સૌપ્રથમ વિશ્વસંગીત દિવસની ઉજવણીની શરૂઆત 21 જૂન 1982 ના રોજ ફ્રાંસમાં કરવામાં આવી હતી.
ફ્રાન્સના તત્કાલિન સાંસ્કૃતિક મંત્રી જેક્સ લેંગે લોકોના સંગીત પ્રત્યેના ક્રેઝને ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. તે દિવસોમાં સંગીત દિવસને ‘ફેટે લા મ્યુઝિક‘ કહેવામાં આવતું હતું.
21 જૂન 1982ના રોજ ફ્રાંસમાં પ્રથમ વખત ‘વર્લ્ડ મ્યુઝિક ડે‘ની (World Music Day) ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સના મંત્રી મૌરિસ ફ્લુરેટે આ દિવસને બધાની સામે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારથી આ તહેવાર એક આંતરરાષ્ટ્રીય ઉજવણી બની ગઈ છે .જે 120 દેશોના 700 થી વધુ શહેરોમાં ઉજવવામાં આવે છે.
આપણા જીવનમાં સંગીતનું મહત્વ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે .
જેવી રીતે નિયમિત ખોરાક આપણા શરીર માટે જરૂરી છે. તેવી જ રીતે એક સાચું સંગીત પણ આપણા મનની શાંતિ માટે ખૂબ જ જરૂરી છે. સંગીતથી આપણા મનોસ્વાસ્થ્ય ઉપર હકારાત્મક અસર થાય છે.
સંગીત એક દવા તરીકે પણ લેવામાં આવે છે .જેની ખૂબ સારી અસર થાય છે .સંગીત જો સાંભળીએ તો ચિંતા, તણાવ, ડર થી દૂર રહી શકાય છે.
જો યોગ શરીરને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ છે. તો સંગીત પણ માનસિક શાંતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આમ આજરોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે પણ ” મ્યુઝિક ડે “ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના સુંદર ગીતોની રજૂઆત કરી હતી.
તેમજ શિક્ષક મિત્રો માટે પણ શાળા દ્વારા અંતાક્ષરીનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દરેક શિક્ષક મિત્રોએ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લઈ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો .
ગજેરા શાળા પરિવાર દ્ધારા આજના કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.