હનુમાન જયંતી: ભક્તિ, બળ અને અખૂટ શ્રદ્ધાનો પાવન ઉત્સવ

     દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે પવનપુત્ર હનુમાનજીનો જન્મ થયો હતો. ભક્ત હનુમાનજીને બળ, ભક્તિ, નિષ્ઠા અને સચ્ચાઈના પ્રતીકરૂપે પૂજે છે. તેમની ભક્તિ, ખાસ કરીને ભગવાન શ્રીરામ પ્રત્યેનો પ્રેમ, આજે પણ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. હનુમાન જયંતીનો દિવસ ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દેશભરમાં મંદિરોમાં વિશેષ પૂજાઓ, હનુમાન ચાલીસાના પાઠ, યજ્ઞો અને ભજન સંધ્યાઓનું આયોજન થાય છે. ઘણાં લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને હનુમાનજીના દર્શન માટે મંદિરોમાં મોટી સંખ્યામાં એકત્ર થાય છે.

      હનુમાનજીનું જન્મ વાનર રાજા કેશરી અને અંજના માતાથી થયું હતું. તેમને પવનદેવનો આશીર્વાદ મળ્યો હતો, તેથી તેઓને ‘પવનપુત્ર’ પણ કહે છે. બાળપણથીજ તેઓમાં અસાધારણ બળ અને ક્ષમતાઓ જોવા મળતી. હનુમાનજી રામાયણના મુખ્ય પાત્રોમાંથી એક છે અને શ્રીરામના અખૂટ ભક્ત તરીકે ઓળખાય છે.

     હનુમાનજી આપણને બતાવે છે કે સાચી ભક્તિ અને સમર્પણથી કોઈ પણ અશક્ય કાર્ય સંભવ બને છે. તેમણે લંકા દહન કર્યું, સંજીવની લાવ્યા અને રામજીના કાર્યમાં જીવન સમર્પિત કર્યું. આજના સમયમાં, હનુમાનજી આપણને આત્મવિશ્વાસ, પરિશ્રમ અને સત્યના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.

     હનુમાન જયંતી એ માત્ર ઉત્સવ નહીં પરંતુ આત્મમંથન અને આધ્યાત્મિક ઉન્નતિનો દિવસ છે. આ દિવસે આપણે હનુમાનજીના ગુણોને યાદ કરીને આપણા જીવનમાં પણ તે ગુણોને અવલંબન કરવાની પ્રેરણા લઈ શકીએ છીએ.

     હનુમાન જયંતીના પાવન દિવસે, પવનપુત્ર હનુમાનજી આપના જીવનમાં શક્તિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ!

જય હનુમાન…!!
જય શ્રીરામ….!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *