सर्वतीर्थमयी माता, सर्वदेवमयः पिताः ।
मातरं पितरं तस्मात्, सर्वयलेन पूजयेत् ।।
અર્થાત- માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું સ્વરૂપ છે. એટલે, માતા-પિતા દરેક પ્રકારે પૂજનીય છે.
આપણો દેશ તહેવારોનો દેશ છે. દરેક તહેવાર તેમજ તેની ઉજવણીનું આગવું મહત્વ રહેલું છે.
પ્રેમના શુદ્ધ અને નિઃસ્વાર્થ સ્વરૂપની ઉજવણી કરવા માટે ૧૪ ફેબ્રુઆરીએ માતા-પિતાની પૂજા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ તમે જેને પ્રેમ કરો છો તેના પ્રત્યેના સ્નેહ, આદર અને કાળજીની ઉજવણી છે. માતા-પિતા અને બાળકના પ્રેમ સંબંધથી મોટો અને શુદ્ધ કોઈ સંબંધ નથી.
માતૃ-પિતૃ પૂજન દિવસ બાળકોના હૃદય અને આત્મામાં માતા-પિતાની સેવા કરવાની સકારાત્મક ભાવનાને પ્રેરિત કરે છે. આ તહેવાર ઉજવવાની પ્રેરણા ભગવાન ગણપતિ દ્વારા કરવામાં આવતી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાથી મળે છે. આપણા બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેળવાય એ હેતુ સાથે ગજેરા પૂર્વ-પ્રાથમિક વિભાગમાં માતૃ-પિતૃ વંદના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જેમાં અમારા બાળપુષ્પોએ માતા-પિતાનું પૂજન કરી પોતાનો પ્રેમ વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૂજન દરમિયાન બાળક અને માતા-પિતાના વાત્સલ્યસભર પ્રેમના ઝરણા વહેતા થયા અને વાતાવરણ અદ્ભુત આનંદમય બની ગયું હતું. જેમ જેમ કાર્યક્રમ સમાપ્ત થતો ગયો, તેમ બાળકો અને માતાપિતા બંનેમાં કૃતજ્ઞતા અને પ્રતિબિંબની ભાવના વધી. પ્રેમ, સમજણ અને આદરને ઉત્તેજન આપતા, તેમની વચ્ચે અમૂલ્ય ક્ષણ બની રહી.