શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું હોય ત્યારે માત્ર વિદ્યાર્થીઓ નહીં, પણ શિક્ષકો માટે પણ નવી તૈયારી અને ઉર્જાની જરૂર પડે છે. વેકેશન પછી જ્યારે શિક્ષકો શાળામાં પાછા આવે છે, ત્યારે તેમની તંદુરસ્તી અને માનસિક શાંતિ અતિવ જરુરી હોય છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં શિક્ષકો માટે તા.૨૯/૦૫/૨૦૨૫, ગુરુવારના રોજ એક વિશિષ્ટ યોગા સત્રનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોને તાજગી, શાંતિ અને સકારાત્મકતા આપી આગામી વર્ષ માટે તેમને ઉત્તમ રીતે તૈયાર કરવું એ હતો. યોગ માત્ર કસરત નથી, તે જીવનશૈલી છે અને શાળાની તૈયારી શારીરિક અને માનસિક રૂપે પણ જરૂરી હોય છે.
સત્રની ઝલક:
- વાર્મ-અપ આસનો: નરમ તાણ આપતા આસનો સાથે શરીરને જાગૃત કરવામાં આવ્યું.
- પ્રાણાયામ અને શ્વાસ વ્યાયામ: અનુલોમ-વિલોમ, કાપાલભાતી અને ભ્રામરી જેવી શ્વાસ ક્રિયાઓ દ્વારા આંતરિક શાંતિનો અનુભવ થયો.
- ધ્યાન સત્ર: યોગા ગુરુ દ્વારા માર્ગદર્શિત મેડિટેશન શિક્ષકો માટે તણાવ મુક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની રીત બની.
- મોટિવેશનલ સંવાદ: યોગના વ્યાવહારિક લાભો અને રોજિંદા જીવનમાં તેના અમલ વિશે પણ ચર્ચા કરવામાં આવી.
શિક્ષકોના જણાવ્યા પ્રમાણે આ યોગ સત્રે તેમને આંતરિક શાંતિ, તાજગી અને નવા ઉત્સાહથી ભરપૂર બનાવી દીધા. ઘણા શિક્ષકો કહ્યું કે હવે તેઓ રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપશે અને શાળાના કામકાજમાં વધુ ઉર્જા અને આનંદ અનુભવશે. શૈક્ષણિક વર્ષની શરૂઆત ફક્ત પાઠ્યપુસ્તકોની તૈયારીથી નહીં, પણ શારીરિક અને માનસિક તૈયારીઓથી પણ થવી જોઈએ. શિક્ષકો જ્યારે આરામદાયક અને ઉર્જાવાન અનુભવ કરે છે ત્યારે તે જાતે શાળાના વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ ફેલાવે છે. આવાં યોગ સત્રો દર વર્ષે આયોજન કરવાથી શિક્ષકો તંદુરસ્ત અને સમર્પિત બની શકે અને એનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળે.
“યોગ એ માત્ર શરીર માટે નહીં, મન માટે પણ આરામ છે – અને શિક્ષકનું મન શાંત હશે તો શિક્ષણ આનંદદાયક બનશે.”