વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ

       દર વર્ષની જેમ ૫ જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” વિશેષ ઉજવવામાં આવે છે, ત્યારે આજના દિવસે શાળામાં એક મહત્વપૂર્ણ અને સાર્થક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યાશ્રી અને ઉપાચાર્યશ્રીએ સાથે મળીને શાળાના વિસ્તારમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી. દરેક વિદ્યાર્થી પોતાના હાથેથી વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીએ આ અભિયાનની વિશેષતા અને મહત્વ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, “વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ સંકલ્પ છે એક સારી આવનારી પેઢી માટે।”. શિક્ષકોએ પણ બાળકોને વૃક્ષોના મહત્વ વિષે સમજાવ્યું કે કેવી રીતે વૃક્ષો હવા શુદ્ધ કરે છે, ધરતીનું તાપમાન ઓછું કરે છે અને વરસાદ માટે સહાયક બને છે। વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આવાં કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને કુદરત પ્રત્યે પ્રેમ જાગ્રત કરે છે।

પર્યાવરણનું મહત્વ : પર્યાવરણ એટલે આપણા ચારે બાજુનું સ્વચ્છ હવા, પાણી, વૃક્ષો, જમીન અને જીવસૃષ્ટિ. આ બધું આપણા જીવનનો આધાર છે. જો આપણે પર્યાવરણની સંભાળ રાખીશું નહીં, તો આપણું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ શકે છે.

આજની સ્થિતિ: આજના યુગમાં વૃક્ષો કપાતા જાય છે, પાણીનું સ્તર ઘટી રહ્યું છે, પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે, અને વાયુપ્રદૂષણ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તન તેના જીવંત ઉદાહરણો છે.

આપણે શું કરી શકીએ?

– વધુમાં વધુ વૃક્ષો વાવો

– પ્લાસ્ટિકના ઉપયોગને ટાળો

– પાણી અને વીજળીનો બચાવ કરો

– ટપક સિંચાઈ અને વરસાદી પાણીનો સંગ્રહ કરો

– સાયકલ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરો

– અન્ય લોકોને પણ પર્યાવરણ બચાવવાની પ્રેરણા આપો

       પર્યાવરણ બચાવવું એ એક સામાન્ય માણસ તરીકે આપણું મુખ્ય ફરજ છે. આવનારી પેઢીઓ માટે એક સુરક્ષિત અને સ્વસ્થ પૃથ્વી છોડવી એ આપણો દાયિત્વ છે. ચાલો, આજે એક  સંકલ્પ નક્કી કરીએ – પર્યાવરણ બચાવીએ, જીવન બચાવીએ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *