શિક્ષણ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પાવન સંબંધ છે, જે વિશ્વને પ્રકાશિત કરે છે. સાચું શિક્ષણ એ છે જે જીવન જીવવાની રીત શીખવે — એટલાં માટે “શિક્ષક અને વિદ્યાર્થીને જોડતી કડી એટલે શિક્ષણ.”
આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્ય જ્ઞાન સુધી સીમિત નથી. તે વ્યાવહારિકતા, નૈતિક મૂલ્યો અને સર્જનાત્મકતાનું સંચાલન છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે એક મજબૂત કડી હોય, ત્યારે જ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનું ભવિષ્ય ઉજ્જ્વળ બની શકે છે.
શિક્ષણ એ માનવ જીવનનો આધાર સ્તંભ છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણ દ્વારા જ શક્ય બને છે. શિક્ષક એ શિક્ષણનું કેન્દ્રબિંદુ છે અને વિદ્યાર્થી તેની પ્રેરણા. બંને વચ્ચે જે કડી બંધાય છે, તેને શિક્ષણ કહેવાય.
નવી શિક્ષણની પ્રણાલીઓ શિક્ષણ વ્યવસ્થામાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવાનો ઉદ્દેશ રાખે છે. જે શિક્ષણને વધુ શ્રેષ્ઠ, સર્વગ્રાહી અને પ્રેરણાદાયક બનાવશે. એટલે જ શિક્ષણમાં પ્રાથમિક કૌશલ્યો પર જરૂરીભાર આપવામાં આવ્યો છે તો ઇનોવેશન અને સંશોધન માટેનું ઉત્તમ વાતારણ રચે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના હિતમાં વ્યક્તિગત વિકાસનો અભિગમ અપનાવે છે.
શિક્ષણ બાળકમાં રહેલી વિશેષતાઓને ખીલવવાનું કાર્ય છે. એટલે કે વિદ્યાર્થીઓની શક્તિને બહાર લાવવાનું કાર્ય કરે છે .બાળકમાં એકાગ્રતા લાવવાનું કાર્ય શિક્ષણ કરે છે. જેમાં શિક્ષકો વિદ્યાર્થીના માર્ગદર્શક બની વિદ્યાર્થીને સલાહ સૂચના આપી માર્ગદર્શન પૂરું પાડે છે. શૈક્ષણિક પ્રક્રિયા માતા-પિતા -વિદ્યાર્થીઓની સફળતા અને તેના આવનાર ભવિષ્ય અંગેની ચર્ચા કરવા માટેનું યોગ્ય મંચ છે.જ્યાં વિદ્યાર્થીઓની દરેક પરિબળોની ચકાસણી કરી તેના જીવન પથને સરળ બનાવવાનો છે .
આથી તારીખ 05/06/2025 ના રોજ ગજેરા ટ્રસ્ટ સંચાલિત ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ધોરણ 1 થી 8 માં નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી અને વાલીઓ માટે શાળા અને વાલીઓ વચ્ચે એક સેતુ રચાય તે માટે ઓરિએન્ટશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત વાલીશ્રી અને શાળાના આચાર્યશ્રી દ્વારા દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા શાળાનો પરિચય, શાળામાં થતી અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ, શાળાના નીતિ-નિયમો, પરીક્ષા પદ્ધતિ, રમત-ગમત તેમજ વ્યક્તિગત વિકાસની પ્રવૃત્તિ વિશે માહિત આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારે ઉમળકા સાથે બહોળી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજર રહી વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની વિગતે જાણકારી પ્રાપ્ત કરી પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ બાળકના અભ્યાસ અને આગામી સમયમાં શું શું ધ્યાનમાં લેવું તેના વિશેની માહિતી પણ આપી હતી .
આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાલીઓને છોડ રૂપી સ્મૃતિ ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું.