“योगेन चित्तस्य पदेन शान्तिः, शरीरेण स्वास्थ्यं, देहेन स्थिरत्वम्। योगस्थः कुरु कर्माणि, संगं त्यक्त्वा धनञ्जय।”
યોગથી મનને શાંતિ મળે છે, શરીર સ્થિર રહે છે, અને દેહમાં સ્થિરતા આવે છે. યોગસ્થિત રહીને તમારા કર્તવ્યનું પાલન કરો, અને આશક્તિને ત્યાગી દો.
સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ખરાબ જીવનશૈલી અને ખાનપાનની આદતો વચ્ચે લોકોને યોગ વિશે જાગૃત કરવાનો છે.
આજની ફાસ્ટ ટ્રેક સમાન જિંદગીમાં યુવાન તેજ ઝડપે સફળતા પામી લેવા મથતો હોય છે. બધું જ ફાસ્ટ – ફાસ્ટ ફૂડ , ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ , ફાસ્ટ ટ્રેન્ડ કપડાં જાણે જિંદગીના હોય ને રેસ હોય. બધી દોડધામમાં યુવા પેઢી કેટલાક અંશે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. આનાથી થતો થાક માત્ર શરીર ને જ નહીં આંતરિક શાંતિ ને પણ નુકશાન કરી જાય છે અને એક થાકેલો નાગરિક સ્વસ્થ દેશનું નિર્માણ ના કરી શકે. કોઈ પણ વાત ની ખુશી માનવ વ્યક્તિ નું મન સ્વસ્થ , પ્રસન્ન અને શાંત હોવું ખુબ જરૂરી હોય છે. આખી જિંદગી સફળતા ના નામે ભૌતિક સુખ પાછળ દોટ મુકતો માણસ બધું મેળવી ને પણ ખુશ નથી હોતો. અને એ આંતરિક ખુશી મેળવવા અને એને સાચી દિશામાં વાળવાની પદ્ધતિ એટલે યોગ. મુદ્દા ની વાત એ છે કે સફર વધારે ખુબસુરત હોય છે મંજિલ કરતા.
આંતરિક શક્તિઓને જાગૃત કરી માનસિક શક્તિને પ્રબળ બનાવવી એટલે યોગ. પંચતત્વો થી બનેલા આ શરીરમાં આ પંચતત્વોને પોતાના મહત્તમ વિકાસ માટે કેવી રીતે સક્રિય કરી ઉપયોગમાં લેવાની ક્રિયા એટલે યોગ.
યોગ પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ છે. યોગ અને યૌગિક ક્રિયાઓ આપણી ભારતીય સંસ્કૃતિના પાયા સમાન છે. ઋષિઓથી લઈને આદિકાળનો માનવી યોગની શક્તિઓ નો પરિચય ધરાવે છે. અને આજે યોગનો શારીરિક અને માનસિક તથા આધ્યાત્મિક વિકાસ માટે વૈશ્વિક સ્તરે સ્વીકાર થયો છે .
ભારતમાં ઠેક ઠેકાણે યોગ અભ્યાસ કેન્દ્ર અને યોગ શિબિર યોજાતા થયા છે. ઘણા અગ્રગણીય મહાનુભાવો યોગ સાથે જોડાયા છે અને વૈશ્વિક સ્તરે યોગ પ્રચલિત કરવા અને યોગ ના ફાયદાની જાણકારી લોકો સુધી પહોંચાડવા સક્રિય બન્યા છે. જે ભારત માટે પ્રતિષ્ઠા અને પ્રસંશા પાત્ર ગણાય.
સૌથી મોટા ગર્વ ની વાત એ છે કે દેશના સુકાની એવા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી માત્ર વાણી થી જ નઈ,પોતાના દૈનિક આચરણમાં પણ યોગનો સમાવેશ કરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. જે દરેક માટે પ્રેરણારૂપ છે. આટલી સ્ફૂર્તિ અને ખંતથી દેશ વહીવટ ચલાવનાર નરેન્દ્ર મોદીજી એ વાત નું પ્રમાણ છે કે શરીર સ્વસ્થ હોય તો કાળા માથાનો માનવી ભલભલા સિદ્ધિના શિખરો સર કરી શકે છે અને વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી શકે છે .
આજે એ સ્પષ્ટ બન્યું છે કે વ્યક્તિગત વિકાસ અને દેશ ના સંપૂર્ણ વિકાસ માટે સ્વાસ્થ્ય અમૂલ્ય છે. સમાજની રચના નાગરિકો થી થાય છે અને દેશની રચના સમાજના વિકાસ થી નક્કી થાય. પહેલું સુખ તે જાતે નર્યા. આ કહેવત જીવન માં સ્વાસ્થ્ય નું મહત્વ સમજાવી જાય છે. સ્વસ્થ શરીર સ્વસ્થ માનસિકતા નું પ્રમાણ છે અને તો જ વિકાસશીલ દેશ પોતાની સંસ્કૃતિ ની સાચવણી કરી શકે અને બંધારણ ની રક્ષા કરી શકે તથા વિશ્વને એકરૂપ જોઈ શકે .
આજે લખતા ગર્વ થાય છે કે નરેન્દ્ર મોદીજી ના UN સાથે ના જોડાણ અને પહેલ થી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી ૨૦૧૫ ની સાલ થી ૨૧ જૂન ના દિવસે નિર્ધારિત થયેલ છે અને ખૂબ જ સફળ અને જુસ્સાભેર પ્રતિક્રિયા રૂપે વિશ્વના કરોડો અબજો યુવાનો તથા નાગરિકો એમાં જોડ્યા છે.
૨૧ જુન એ વર્ષ નો લાંબામાં લાંબો દિવસ હોય છે જે શ્રી નરેન્દ્ર મોદીજી ના સૂચન થી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી માટે નક્કી કરાયો જેથી વધુમાં વધુ લાભ લઇ શકાય.
સુખમય ભવિષ્ય અને સુંદર વિશ્વની રચનાના અભિગમ ને ધ્યાનમાં લઈને આજરોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે પણ વિદ્યાર્થીઓને યોગનુ મહત્વ સમજાવી, યોગ કરાવવામાં આવ્યા અને સાથે સાથે વાલીશ્રીને પણ કંઈ રીતે પોતે સ્વસ્થ રહી, બાળકોને પણ સ્વસ્થ રાખવા તે અંગે માહિતી આપી મેડિટેશન અને યોગ કરાવવામાં આવ્યા હતા.
ગજેરા શાળા પરિવાર વતી સૌ વાલીશ્રીને યોગ દિવસની શુભેચ્છા.